“મારી ઘટના ને તમારા અભિપ્રાયો”
(ભાગ ૩)
મિત્રો, આજે ઘણા દિવસ પછી કઈ લખવાનું મન થઇ રહ્યું છે. મેં “મારી ઘટના ને તમારા અભિપ્રાયો” ના બે ભાગ લખી નાખ્યા છે, ને આજે ત્રીજો ભાગ લખવા જઈ રહ્યો છું. આ ઘટનામાં મેં ત્રણ જુદી જુદી ઘટનાઓ આવરી લીધી છે કે જેમનો એકબીજા સાથે સીધો તો કોઈ સંબંધ નથી પણ ત્રણે ઘટનાઓ ના પ્રશ્નો એક સરખા જ છે..
એ તો તમને પણ ખબર છે કે આજે ભ્રષ્ટાચાર ને ગુનાખોરી ખૂબ વધી ગયા છે. આ ઘટનાઓ પણ આજ વિષય વસ્તુને સંકળાયેલી છે. હું ટૂંકમાં તમને વર્ણવી મારા મગજમાં ચાલતા આ ગૂંચવાયેલા સમીકરણો ના અમૂક ઉકેલ દર્શાવીશ. અને એના અભિપ્રાયોની તમારી પાસે આશા રાખીશ.
હું જ્યાં રહું છું ત્યાં અવારનવાર લાઈટ (ઈલેક્ટ્રીસીટી) જતી રહે છે. આનું મુખ્ય કારણ ગામડાઓમાં અપાતો વીજળીનો કાપ કે જેથી નજીકનાં શહેરમાં ચાલતા ઔદ્યોગોને વીજળીની ખોટ ન પડે. સમજ્યા કે ઔદ્યોગોની જરૂર છે આપણા દેશને. સમાજનો ને દેશનો વિકાસ એના થકી છે, ને એની સામે મારો કોઈ વિરોધ પણ નથી. પણ જ્યારે સરકારના જ માણસો એ ઔદ્યોગોપાસેથી પૈસા લઇ જરૂર કરતા વધારે વીજળીકાપ ગામડાઓના ગરીબ લોકો પર મુકે ત્યારે..? સરકારી ખાતાવાળા જ્યારે તમને સીધી રીતે જવાબ ન આપે ત્યારે..? કે પછી તમે ફોન પર કમ્પ્લેન કરવાની ટ્રાય કરો ને સરકારી કચેરીમાં ફોનનું રીસીવર જ નીચે મૂકી દીધું હોઈ તો..? ને કદાચ ફોન ઊંચકી પણ લે અને તમને કહે કે લાઈટ નહી આવે તમારી થાય એ કરીલો..? કે પછી કોઈ માણસ નથી અત્યારે રીપેરીંગ કરી શકે એવો..? બોલો તો શું કરીલો તમે..? કોને જઈને કહો..?
આજ વસ્તુ ટેલીફોન ખાતાવાળા સાથે પણ સરખી જ છે. હું અત્યારની જ વાત કરું, છ સાત દિવસ પહેલા થોડું વાવાઝોડું આવેલું ને બે ત્રણ થાંભલા પડી ગયેલા. ટેલીફોન ઓફીસમાં કમ્પ્લેન કરી કરી ને થાકી ગયો. આખરી બારમે દિવસે ટેલીફોનવાળો રીપેરીંગ કરવા આવ્યો. હજી તો પત્યું નહોતું, વાવાઝોડા ને લીધે કેબલ તૂટી ગયા હતા એટલે માંડ માંડ મેં એને મનાવ્યો તો એ મજુર લઈને આવ્યો ને ખાડો ખોદી આપ્યો કેબલ જોડવા. પેલા ભાઈએ કેબલ તો જોડી જોયા પણ કઈ મેળ પડ્યો નહિ.. ઉનાળા ખરા બપોરિયા તાપમાં મારું મગજ પણ ગયેલું હતું એટલે મેં જરા કહ્યું કે બહુ લાપરવાહી છે, ધાંધીયાવેળા છે..? ૩૦ દિવસ માંથી ૧૨ દિવસ ફોન બંધ રહે ને પછી રીપેર કરવા પણ કાલાવાલા કરવાના.. એટલે પેલા સરકારી ભાઈસાહેબે મને સંભળાવી દીધું કે વધારે મગજમારી કરશો તો આજે પણ રીપેર નહિ થાય.. બોલો શું કરી લો તમે..? કોને જઈને કહો..?
પોલીસ.. નામ સાંભળીને સામાન્ય માણસને તો બીક લાગી જ જાય પણ કદાચ બુટલેગરોને, સત્તોડીયાઓને, બે નંબરના ધંધો કરતા લોકોને જરાય બીક નથી લાગતી. આજની આ વિચિત્ર હકીકત છે. કદાચ આ ઘટનાથી મને પોલોસજાત માટે નફરત થઇ ગઈ હોઈ તો નવાઈ નહિ. હું જ્યાં નોકરી કરું છું ત્યાં મારે બસમાં જવાનું હોઈ છે. હું ઘરેથી નીકળી એક ચોક્કસ જગ્યા એ મારું વાહન પાર્ક કરું છું, કે જ્યાં મારા સિવાય ઘણા બધા પોતપોતાના વિહિકલ પાર્ક કરતા હોઈ છે. એક દિવસે મને ઓફિસથી આવતા ખાસ્સું મોડું થઇ ગયું. લગભગ રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ હું મારા વિહિકલ પાર્ક કરવાની જગ્યાએ પહોચ્યો. મારું વિહિકલ ત્યાં હતું નહિ. એટલે મેં સીધા નજીકના પોલોસ સ્ટેશન જઈ એફ.આઈ.આર લખાવાની તજવીજ હાથ ધરી પણ પેલા ફરજ પરના પોલીસે પેહલા તો ના જ પાડી દીધી. મેં કાલાવાલા કર્યા તો એ જરા માન્યો. એને મારી પાસે આર.સી. બૂક માંગી એટલે મેં કહ્યું કે એતો ઘરે પડી છે. તો એને કહું કે, “ તો ભાઈ મેળ નહિ પડે..? હા પણ એક રસ્તો છે..?” મેં બોલવા કહ્યું. મને કહે, “કાચી નોધ લખી આપું પછી કાલે આવીને રીપોર્ટ લખાવી દેજો.” એટલે મેં હા કહ્યું. વળી પાછો બોલ્યો, ”એક કામ કરો ને કાલે જ આવજો. કાલે જ એફ.આઈ.આર લખી આપીશ.” એટલે હું સમજી ગયો ને મેં કહ્યું કે સાહેબ જે કઈ થાઈ એ લઇ લેજો પણ કરી આપો.
બીજી સવારે મેં ઘણી બધી જગ્યા એ શોધી જોયું પણ કઈ પત્તો લાગ્યો નહિ છેવટે કંટાળીને હું આર.સી બૂક લઇ પોલીસ સ્ટેશન ગયો. પેલાએ મારી વિગત અનુસાર કાચી નોધ કાઢી એટલે એને ખબર પડી ગઈ કે એ રાત્રે મેં કોની પાસે લખાવી હતી. એ ભાઈએ મને એફ.આઈ.આર તો લખી આપી પણ પાંચનામા માટે બીજા દિવસે આવવા કહ્યું. હવે વાત એમ બની કે કાચી નોધ લખવા વાળો પોલીસવાળો બીજો હતો ને એફ.આઈ.આર વાળો અલગ. એફ.આઈ.આર વાળાએ તો મારી પાસે વિહિકલ ની શોધખોળ માટે જરૂરી ૫૦૦ રૂપિયા લાંચ પેટે માંગી લીધા, પણ હું કઈ મુસીબતમાં ફસાવાનો હતો એની મને કલ્પના પણ નહોતી. ૨-૩ દિવસ પછી હું નક્કી કરેલા દિવસે પંચનામા માટે ગયો ત્યારે ત્યાં “કાચી નોંધ” લખવા વાળો પોલોસ ડ્યુટી પર હતો. એને મારો ઉઝરડો લઇ નાખ્યો. મને કહે કે તે બીજા પાસે એફ.આઈ.આર લખાવી જ કેમ..? એ ગુસ્સામાં હતો કેમ કે મારી લાંચના પૈસા જે એને લેવાના હતા એ એને મળ્યા નહોતા. આમાં મારો શું વાંક..? બોલો શું કરી લઉ હું..? કોને જઈને કહું..?
હું એટલો મોટો તો નથી કે દેશના બીજા ઘણા મહત્વના પ્રશ્નોમાં ધ્યાન આપું કે તે ઉકેલવા કઈ પ્રયત્નો કરું..? મારા માટે ને આપણા જેવા સામાન્ય માણસ માટે આ બધા પ્રશ્નો જ મહત્વનાં છે. આવા પ્રશ્નોનો ઉકેલ કઈ રીતે લાવવો..? કોને કહેવાનું..? ઉપાય કઈ રીતે કાઢવો..??
એમ તો હું એન્જીનીયર રહ્યો એટલે મારા “ખુરાફાતી” દિમાગમાં એકાએક ઘણા વિચાર આવી જાય, જેવા કે..
– મીડિયામાં ચમકાવીએ આવા પ્રશ્નો તો, પેનલ ડીસ્કશન રાખીએ તો..?
– કોઈ મંત્રીશ્રીનાં હેલ્પ લાઈન નંબર પર કમ્પ્લેન કરીએ તો..? (કદાચ એમાંય લાંચ આપવી પડે)
– કાંતો એક કામ કરી શકાય, મારામાં ગાંધીજીની જેમ ધીરજ નથી ને મારે ૧૫૦ વરસ પણ બગાડવા નથી.. તો યુવાનોનું એક યુનિયન બનાવીએ કે જે આવા લોકો ના પ્રશ્નો સાંભળે અને સીધા હિંસાનાં માર્ગે ઉપાય શોધે એટલે “ઈંટ નો જવાબ પથ્થરથી કે પછી ખૂન કા બદલા ખૂન..”
છેલ્લો જવાબ મારા મગજ પર ભારે અસર કરે છે મિત્રો.. આવા લોકોને આજ રીતે બોધપાઠ આપી શકાય એમ છે. ઘણા કહે છે કે, “કુતરા ને ભસવા ન જવાય..” પણ લાકડી કે પથ્થર વડે ભગાડાય તો ખરાને. ને જે કુતરા ને હું રોટલી નાખું એ જ કુતરો મને કરડે એ હું એ કોઈ કાળે ન ચલાવી લઉં.. તમારું શું માનવું છે..? શું છે તમારા અભિપ્રાયો..?
ઝેનિથ
૧૨/૦૬/૨૦૧૧