અમે રહી ગયા..!


દઈ દરદ એ ક્યાંક વહી ગયા,
ભીની આંખે સ્તબ્ધ અમે રહી ગયા..

ખબર ન હતી આંસુને એના મ્રુત્યુની,
આંખેથી ટપકી, ગાલેથી એ વહી ગયા..

એમને મન સંબંધ પૂરા હવે થઈ ગયા,

પૂરા તો એ થયા, અધુરા અમે રહી ગયા..

ખબર ક્યા હતી કે સાથ હશે ઘડી બેઘડીનો,
ઘડીઓ વિસરાઈ ગઈ, બસ ઈતિહાસ રહી ગયા..

સમય ઋજાવી નાખશે ઘાવ બધા,
એ તો ભુલી ગયા..! આપ્યા કોણે..?
એ સમજવા બાકી મારે રહી ગયા..

નિયમ દુનિયાનો છે આ જ, એવુ કહે છે બધા,
“ઝેનુ” લુંટાયુ એ જ જાણે,
બાકી, અમે રહી ગયા ને એ વહી ગયા..

ઝેનિથ, ૯/૪/૨૦૦૯

દસ્તૂર..


દિવસ “આજ” બહુ મજાનો છે,
તારા વિરહની પૂરી થતી સજાનો છે..
ખુદા, દસ્તૂર આ તારો પૂરાનો છે..!
પાનખર પછી આવે વસંત,
ખેલ આ જરા મજાનો છે..

ઝેનિથ સુરતી, ૧૯/૯/૨૦૧૦

ખુદા પણ મારો કમાલ કરી ગયો..!


ખુદા પણ મારો કમાલ કરી ગયો..!
એક કાંકરે બે શિકાર કરી ગયો,
જીંદગી તો જીવવા આપી એક જ મને,
પણ રસ્તા એ હજાર મૂકી ગયો..!

ઝેનિથ સુરતી, ૧૫/૯/૨૦૧૦

રમત રમત આ તે કેવી રમત..!!


રમત રમત આ તે કેવી રમત,
કોણ કોની જોડે રમે..!
કઈ ખબર ન પડે એવી રમત..!

પળમાં હસાવે પળમાં રડાવે,
કોણ કોને હસાવે, ને કોને રડાવે..!
કઈ ખબર ન પડે એવી રમત..!

ક્યારેક હરાવે તો ક્યારેક જીતાવે,
પોતાને હરાવી પારકાને જીતાવે..!
કઈ ખબર ન પડે એવી રમત..!

કોઇક છે આગળ ને કોઈક છે પાછળ,
કોણ કોને દોડાવે..!
કઈ ખબર ન પડે એવી રમત..!

કોઈક ને થાય ખુશી, ને કોઈક થાય દુ:ખી..!
કોને ખુશ કરી, કોને દુખી કરાવું..!
કઈ ખબર ન પડે એવી રમત..!

નથી રમવી મારે આ રમત,
પણ પેલો, આંગળીના ટેરવે નચાવે,
નાછુટકે રમવી પડે આ રમત..!

રમત રમત આ તે કેવી રમત,
ભલભલાને લલચાવે એવી રમત..!!

ઝેનિથ (૨૯ એપ્રિલ ‘૦૯)

સ્વપ્ન કે હકીકત..


સરવાળે તો બધું જ શૂન્ય હતું,

પણ ભાગાકાર જેવો કર્યો,

કે એ અનંત થઈ ગયું..

 

બંધ મુથ્થી ખોલી મેં જોવા,

ત્યાં તો એ અલોપ* થઈ ગયું..

 

એ તો સમજી બેઠા હતા સ્વપ્ન એને,

મારે મન તો, એ હકીકત થઈ ગયું..

 

(અલોપ શબ્દનાં બે અર્થ થાય છે. સંસ્કૃત માં અલોપ એટલે ”દેખાવું” જયારે ગુજરાતી માં ”ન દેખાવું” થાય છે.  અહી બંને અર્થે આ શબ્દ લઇ શકાય તેમ છે.)

માનવી કોઈક વાર જીવનમાં અમુક અગત્યની બાબત માટે સમજી શકતો નથી કે, જે કઈ પણ થઇ રહ્યું છે એ હકીકત છે કે સ્વપ્ન. ક્યાંક તો એ ખુશીની બાબત હોઈ છે કે ક્યાંક એ દુખની બાબત હોઈ છે. એ પણ આ “અલોપ” શબ્દ ની માફક જ હોઈ છે. એ નક્કી નથી કરી શકતો કે એનો શું અર્થ કરવો..? સ્વપ્ન કે હકીકત.. બસ આ જ વિચાર માટે બે – ત્રણ લાઈનો લખવાનું મન થયું તો, ઉપર મુજબ નું કૈક લખાયું..

 

ઝેનિથ સુરતી, ૪ સપ્ટેમ્બર ૨૦૧૦

“મારો એક વિચાર અને તમારા અભિપ્રાયો – ભાગ ૨”


 

(આજે હું તમારા અભિપ્રાયો માટે મારા લેખ નો બીજો ભાગ મૂકી રહ્યો છું. લેખમાનવી અને દુઃખ માટેના મારા વિચારોનો છે.. તમારા અભિપ્રાયોની વખતે પણ હું સહ-હૃદય અપેક્ષા રાખું છું. તમારા અમૂલ્ય અભિપ્રાયો મને કાયમ મળતા રહે એવી આશા..) 

 

મારો એક વિચાર અને તમારા અભિપ્રાયોભાગ  

માનવી અને દુઃખ માટેના મારા વિચારો.. 

 

મારી પોસ્ટમારી એક ઘટના અને તમારા અભિપ્રાયોમાં એક વાચક મિત્ર એમના વીતી ગયેલા કિસ્સાની વાત કરી. વાત એમ બની કે મિત્ર મંદિરેથી નીકળ્યાભિખારી ભીખ માંગી રહ્યો હતોપણ પૈસા હોવાને લીધે  મિત્ર ધ્યાન આપ્યા વગર ફટાફટ રીક્ષા કરીને નીકળી ગયા. રિક્ષાવાળા ને પૈસા પણ ઘરે જઈને આપવાના હતા. પણ બન્યું એમ કે એમનાથી રહેવાયું ને પાછા ભિખારી પાસે ગયા. એમને ભિખારી ને કહ્યું કે, મારી પાસે પૈસા તો નથી પણ જો તને કઈ મદદ જોઈતી હોઈ કે તું કહે, તો હું બીજા પાસે પૈસા માંગી ને તને આપું. પણ ભિખારી સામે વળતો જવાબ આપી દીધો કે, જાજા તું વળી શું પૈસા આપીશ..? તારી ખુદની પાસે પૈસા નથી..! મારા મિત્રને પણ એક વાર કદાચ એવો વિચાર આવી હયો હશે કે, ભીખારીઓ ને પણ શું મદદ કરવા જેવી છે..? ને કદાચ ૮૦ ટકા  લોકોને પણ વિચાર આવે.

ચાલો, હવે આપણે ભિખારીને મદદ કરવી કે નહિ વાત ને ગૌણ ગણી ને મિત્રને દુઃખ થયું વાતને મુખ્ય ગણી વિચારીએ તો..! મિત્ર ને દુઃખ થયું વાત સાચી છે, પણ કેમ થયું..? કેમનામનો સવાલ કાયમ વચ્ચે આવે જયારે આપણે જ્ઞાનતંતુઓ ને જોર આપીને અંતરના વિચારોને પરામર્શ કરવા પ્રેરિત કરીએ, ખરું ને..? વિચારો ના અર્થઘટનની ક્રિયા પણ અજીબ છે.

મારુતો સ્પષ્ટ પણે માનવું છે કે, માનવી ના વિચારો ની ભિન્નતા ને સમજણ શક્તિની અસ્પૃશ્યતા માનવી નાં એકબીજા પ્રત્યેના ગમાઅણગમાની ભાવના પેદા કરે છે. મારું ને તમારું નથી બનતું એટલે કે આપણા વિચારો મળતા નથી આવતા. એકદમ સામાન્ય વસ્તુ છે. તમને હું ગમું છું કેમ કે આપણા વિચારો આપણી ફ્રીકવન્સી મળતી આવે છે. બસ બીજું કઈ કારણ નથી. નાની નાની દરેક વસ્તુ માં આજ છે. વિચારો ને એનું અર્થઘટન.

દુઃખની વાત કરું તો, મિત્ર ને દુઃખ થયું, કેમ..? કેમ કે એને અપેક્ષા બંધાઈ ગઈ હતી. હું આમ કરીશ તો સામે મને આમ મળશે. ને મારા મિત્રની ખાલી વાત નથી, બધાની વાત છે. અપેક્ષાઓ માનવી ને દુઃખ આપે છે. પુત્ર મારા માટે આમ કર્યું, મેં એના માટે આખી જીંદગી આપી દીધી, કેટકેટલું કર્યું..? ને પુત્ર આવું કર્યું..? પણ છેલ્લે તો માં-બાપ ને દુઃખ થયું ને. માં-બાપે અપેક્ષાઓ રાખી, તો દુઃખ થયું..?

જેટલી અપેક્ષાઓ ઓછી રાખશો એટલું ઓછું દુઃખ થશે. હું વાત ને બહુ માનું છું. અપેક્ષાઓ હમેશા બને એટલી ઓછી રાખો. પછી તમને થશે કે, કોઈના માટે આપણે કઈ કરવું કે નહી..? કેમ કે અપેક્ષાઓ ઓછી કરવા માટે એને સૌથી મુખ્ય પરિબળ ગણી શકાય, ખરું ને..? કોઈના માટે કઈ કરવાનું નહિ, એટલે અપેક્ષા નહિ ને દુઃખ નહિ..! વસ્તુ દરેક માણસમાણસ ના સ્વભાવ પર આધાર રાખે છે. ચાલો સમજાવવા હું એક નાની વાર્તા કહું. વાર્તા મારી ઓફીસમાં કામ કરતા એક સહપાઠી કાયમ કહે છે. ઉમરમાં મારાથી ઘણા મોટા છે પણ એમના વિચારો અદભુત છે. એમની સમજણ શક્તિ ને જીવન સાથે તાલ મિલાવવાની કળા પણ શીખવા જેવી છે. પર્જન્ય દવે, એમના વિચારો માં બહુ સ્પષ્ટ છે. આટલા જુનવાણી હોવા છતાં, કર્મને વધુ મહત્વ આપવા વાળા ઇન્સાન છે. એમને મને કર્મ ની મહત્વતા સમજાવી છે. મારે માટે પણકર્મ ને એમાં રહેલું મર્મમારા સિદ્ધાંતોમાં અગ્રીમ સ્થાને છે.

વાર્તા એમ છે, એક ગામ માં એક સુંદર ઝરણું હતું. બધા ગામવાસીઓ ત્યાં પોતાની રોજ-બરોજ ની ક્રિયાઓ જેવી કે નાહવા, કપડા ધોવા વિગેરે કરવા આવતા. ત્યાં નજીક માં એક ઋષિ નો આશ્રમ હતો. પણ રોજ ત્યાં નાહવા ને સુર્ય દેવતાની પૂંજા કરવા આવતા. એક દિવસ એમ થયું કે જ્યારે ઋષિ નહાતા હતા ત્યારે એમને ઝરણા માં એક વીંછી ને તણાતો જોયો. એટલે ઋષિ એને બચાવા લાગ્યા. પાણીનું વહેણ ઝડપી હતું. જેવો ઋષિ વીંછીને બચાવવા હાથ નાખ્યો કે તરત વીંછી ડંખ માર્યો. ઋષિ ને લોહી નીકળવા લાગ્યું. બે-ત્રણ વખત આવી ઘટના બની. જોઈ રહેલા એક ગામવાસી કહ્યું, ”મહારાજ, વીંછી તમને ડંખ મારે છે વારંવાર છતાં તમે એને બચાવો છો, ઝેર ચઢી જશે તો ભારે મુશ્કેલી થઇ પડશે..?” મહારાજે કહ્યું, ”બેટા, વીંછીનો સ્વભાવ તો ડંખ મારવાનો છે એટલે ડંખ મારશે, પણ મારો સ્વભાવ એક જીવની રક્ષા કરવાનો છે. જે હું કરી રહ્યો છું. એના સ્વભાવ પ્રમાણે વર્તે છે ને હું મારા. હું એને બચાવી રહ્યો છું કેમ કે મારા દિલ ને આમ કરવું ગમે છે, મને આનંદ થાય છે, સંતોષ મળે છે. મને શું કરશે એનાથી મને કોઈ નીસ્બદ્ધ નથી.” આમ દરેક વ્યક્તિ પોતાના સ્વભાવ મુજબ વિચારે છે, અર્થઘટન કરે છે ને અનુલક્ષે છે. અને એજ રીતે વર્તશે.

પણ તમે વાર્તામાં બીજી એક વસ્તુ પર ધ્યાન આપ્યું..? અપેક્ષા..? તમે બીજા કોઈ પણ વ્યક્તિ, વસ્તુ માટે કઈ પણ કરો પણ એક વસ્તુ હમેશા ધ્યાનમાં રાખો, કે હું કરી રહ્યો છું કેમ કે મને ગમે છે, મારે કરવી છે. આનાથી કોઈ વસ્તુ વ્યક્તિનું સીધું કે આડકતરી રીતે નુકશાન નથી. જો વિચારી ને કોઈ કર્મ કરશો તો કદાચ ઓછું દુઃખ થશે. જેમ ઋષિ કર્યું એમ. એમને ગમ્યું એટલે એમને વીંછીને મદદ કરી.
એટલે મારા મતે અપેક્ષા એ દુઃખ નું મૂળભૂત કારણ છે.  તમે જો એમ વિચારી ને કોઈ પણ કર્મ કરશો કે હું મારી ખુશી, મારા આનંદ માટે આ કામ કરી રહ્યો છું નહિ કે કોઈ બદલા કે અપેક્ષાની ભાવના થી તો તમને ઓછું દુઃખ થશે.
મિત્રો, શું માનવું છે તમારું આ વિચાર માટે..?  તમારા અમૂલ્ય અભિપ્રાયો જણાવવા વિનંતી.
 
  

 
Zenith Surti, 29/08/2010

 

वोट – एक व्यंग रचना..


 
 
अरे भाई कहाँ घूसे आ रहे हो..??
लम्बी लाइन नहीं देख पा रहे हो..!
 
बीचमे घूसे तो मार खाओगे.. 
युही बेमौत मारे जाओगे..!
 
जनता बड़ी गुस्से में है,
वोट देने के जुस्से में है..
 
इसबार सही चुनाव करेंगी,
और चैन की सांस भरेंगी..!
 
मैंने अपना मुंह छिपाया,
बड़ी मुश्किलसे लाइन में घुस पाया..
 
लाइन बहुत लम्बी थी,
कड़ी धूप में हालत मंदी थी..
 
मै चिल्लाया, सारे नेता चोर है..!
पैसो के लिए नाचते मोर है..!
 
एक नेता ने ५०० का नोट दिया है,
उसीको वोट देनेका तय किया है..!
 
घर - घर में बिजली पानी लायेगा,
जच्चा बच्चा चैन से सो पायेगा..!
 
वोट देनेमे अब अगली मेरी बारी थी,
उत्तेजना मन में बड़ी भारी थी..!
 
मैंने अपना नाम बताया,
देख के रजिस्टर वो चिल्लाया..!
 
तुमने पहले ही वोट कर दिया है,
अधिकार को अपने ख़त्म कर दिया है..!
 
अरे मैंने कहा वोट दिया है.?
तुमने ही जरुर कुछ किया है..!
 
अभी पुलिस को बुलवाता हूँ,
मजा तुम्हे चखवाता हूँ..!
 
फिर उसने अपने मन को ठिठोला,
मुस्कुराके थोडा, धीरे से बोला..!
 
ज्यादा शोर जो अब तुम मचाओगे,
तो वही पुलिस के हाथ मार खाओगे..!
 
५०० का नोट सिर्फ तुमने पाया है,
५००० मेरेभी घर भिजवाया है..!!
 
समझ - दारी चले जाने में है,
किसीको कुछ नहीं बताने में है..!
 
१००० का नोट घर पहुँच जायेगा..!
वरना कल की छोडो, 
आजभी बच्चा चैन से सो नहीं पायेगा..!!
 
 
  


 

 
 

ज़ेनिथ सुरती, १६ अगस्त २०१०

 

 

એક મારી ઘટના ને તમારા અભિપ્રાયો..!


 
૨૯ જુલાઈ ૨૦૧૦, ગુરુવાર
 
હું દર ગુરુવારની જેમ એ ગુરુવારે પણ સાઈબાબાના મંદિરે ગયો. ત્યાં મેં એક વિચિત્ર સંજોગ કહો કે ઘટના, પણ મેં એક વીસેક વરસના છોકરાને જોયો. વાત એમ બની કે હું દર્શન કરીને બહાર નીકળ્યો ત્યારે મારા પર્સમાં છૂટો એક જ રૂપિયો હતો ને ઘણા બધા ભીખારીઓ બહાર બેઠા હતા. એટલે પહેલા જ જે માજી બેઠા હતા મેં એમને રૂપિયાનો સિક્કો આપીને ફટાફટ ચાલવા માંડ્યું. પણ એક છોકરો મને બુમ પડતો રહ્યો, સાહેબ.. સાહેબ.. મેં ધ્યાન આપ્યું નહિ કેમ કે મારી પાસે એક પણ છૂટો રૂપિયો હતો નહિ ને મને ઓફીસ જવાનું પણ મોડું થતું હતું. એટલે હું સીધો બાઈક પર બેઠો ને જવા માંડ્યો પણ નીકળતા મેં એક નજર પાછળ નાખી ને જોયું કે કોણ બુમો પાડતું હતું..? મને તરત ખ્યાલ ન આવ્યો, પણ કોણ જાણે કેમ મને એવું થયું કે મેં એને જોયો છે..! ક્યાંક તો જોયો જ છે..!
 
અચાનક મને યાદ આવ્યું કે ઓફીસ જતા હું જે જગ્યા એ ચ્હા પીઉં છું એ જગ્યા એ નોકરી કરતો, કપ-રકાબી ધોતો. પણ માનસિક રીતે થોડો અસ્થિર હતો. કાયમ સંવારે હું કહું એ પહેલાતો મને જોઈ ને મારે માટે ચ્હા લઇ આવતો. સાંજે પણ સાહેબ સાહેબ કરીને બોલાવતો, અને આજે એ અહિયાં બેઠો હતો..? મને કઈ સમજ માં ન આવ્યું. મને મનમાં વિચાર આવ્યો કે કેમ આમ થયું હશે..? મારાથી ના રહેવાયું ને હું યુ ટર્ન લઈને પાછો ગયો.
 
એ ત્યાજ બેઠો હતો. મેં એને પૂછ્યું, ” કેમ અલા અહિયાં બેઠો છે..?” “કેમ છો સાહેબ..!” એ સિવાય એ કઈ બોલ્યો નહિ. એની બાજુ માં એક ઘરડા માજી બેઠા હતા, એમણે એ છોકરાને પૂછ્યું કે કોણ છે આ..? પેલા છોકરા એ છોકરમત રીતે કહ્યું, “બા એ તો મારા ફ્રેન્ડ છે.” એટલે મેં એને પૂછ્યું કે આ માજી કોણ છે..?” તો એને કહ્યું કે, ” મારા બા છે.”  હું વિચારમાં પડી ગયો. આ શું હતું..? કેમ કે થોડા દિવસ પહેલા તો એ ત્યાં ચ્હા ની કીટલી પર કામ કરતો હતો ને આજે અહિયાં..?  શું એ ખરેખર ભીખ માંગવા જ બેઠો હતો..? કે પછી મગજ અસ્થિર છે એટલે ખાલી ખાલી જ અહિયાં બેઠો હતો..? પણ એની સાથે એના બા કેમ બેઠા હતા..? એ પણ ભીખ માંગતા હતા.? હું વધારે ને વધારે મૂંઝવણ માં મુકાતો ગયો કે શું કરું..? પૈસાની મદદ કરાય કે ન કરાય..? બીજી કઈ રીતે મદદ કરી શકાય..? મને કઈ સુઝ્યું જ નહિ કે શું કરું..?
 
મને મોડું થઇ રહ્યું હતું ને મને સમજણ પણ નહોતી પડી રહું કે મારે શું કરવું એટલે હું નીકળ્યો કઈ પણ કર્યા કે આપ્યા વગર..! ખાલી મેં જતા જતા પેલા છોકરાને પૂછ્યું કે કેમ અહી બેઠો છે..? એ કઈ બોલ્યો નહિ. મેં એને મારી સાથે આવવા કહ્યું, કે ચાલ તને ચ્હાની કીટલીએ મૂકી જાઉં, પણ એને ના પાડી. ને હું નીકળી ગયો વિચારતો વિચારતો..! 
 
આખા રસ્તામાં મને એ જ વિચારો આવતા રહ્યા કે, મેં એને પૈસાની મદદ કેમ ન કરી..? મારે થોડા પૈસાતો આપવા જોઈતા હતા. પણ એક બાજુ મારું મન કહેતું હતું કે, એ રીતે કોઈને પૈસા થોડી અપાય..? એ નોકરી કરતો હતો, એ મહેનત કરીને પૈસા કમાતો હતો, તો કઈ રીતે ભીખ અપાય..? કદાચ અસ્થિર છે એટલે ત્યાં બેઠો હોઈ તો, ને હું ભીખ આપું એ યોગ્ય છે..? પણ કદાચ એને ખરેખર તો પૈસાની જરૂર તો નહી હોઈ ને..?
 
મને હજી સમજ નથી પડી રહી કે મારે શું કરવું જોઈતું હતું ને મેં શું ના કર્યું..?
 
તમને શું લાગે છે..? મારે શું કરવું જોઈએ..? કે મારે શું કરવું જોઈતું હતું..? કે પછી આ ઘટનાને હું જે રીતે જોઉં છું એ આટલી અગત્યની ઘટના છે જ નહિ..? આ નોર્મલ ઘટના જ છે..?
 
આ નાનકડી પણ સત્ય ઘટના મારા મન પર ઊંડી છાપ છોડી ગઈ છે. તમારા આ અંગેનાં અભિપ્રાયો મને આપવા નમ્ર વિનંતી. 
 
 
 
આભાર સહ, 
 
ઝેનીથ સુરતી, 
૦૪/૦૮/૨૦૧૦  


વરસાદ..!


 
     હમણાં થોડી વાર પહેલાજ વરસાદ પડ્યો હું સુતો હતો. વીજળીના કડાકા સાંભળીને અચાનક જાગ્યો.. બાલ્કનીમાં ઉભા રહી કેટલી વાર સુધી વરસાદ જોયો, લોકોને પલળતા જોયા, મસ્તી કરતા જોયા, ટૂંક માં મજા આવી ગઈ..
 
     પણ અચાનક એક વિચાર આવ્યો મારા મનમાં. ગામડાના કોઈ માનવી (ખેડૂત) ને શહેરના માનવી માટે વરસાદ નાં મૂલ્યનો..! શહેરના માનવી માટે વરસાદ એટલે મજા, ફરવાની, ગરમ ગરમ ગોટા કે દાલવડા ખાવાની, પલળવાની, મસ્તી કરવાની પણ ગામડાના ગરીબ ખેડૂત માટે..? આજીવિકા, ભગવાન/પાલનહાર. અમને માટે વરસાદમાં પલળવું એ નવાઈ નથી. એમના માટે વર્ષાઋતુ  એટલે આખા વરસની કમાણી કરી લેવાની અને ગુજરાન ચાલે એ માટે મળે એટલું રળી લેવાની મોસમ. મહેનત મહેનત ને મહેનત..!
    
સાચું ને એટલે જ કદાચ એવું હશે કે, જ્યારે શહેરનો માનવી અંતિમ ઘડીએ હોઈ ત્યારે કેહવાય કે આ હવે આવતી દિવાળી જોઈને જાય તો પણ બહુ છે, ને ગામડાનો માનવી અંતિમ ઘડીએ હોઈ તો કહેવાઈ કે આ હવે આવતું ચોમાસું જોઈ ને જાય તો પણ બહુ છે..!!
   
શું કહો છો..??
 
 
 
 ઝેનિથ સુરતી, ૧/૮/2010
 

“પરમેશ્વર” માટેના મારા વિચારો..!!


સત્ય છે કે પરમેશ્વર બધે જ છે, કણ કણ માં, અણુ અણુ માં, અત્ર તત્ર સર્વત્ર.. લગભગ મોટાભાગના લોકો પરમેશ્વર માં માને છે, ભજે છે, નિયમિત મંદિરે જાય છે, આરાધના કરે છે, સાધના કરે છે.. દાન-પુણ્ય ન જાને એવું ઘણું બધું..
 
સાચું ને..!
 
શું છે આ પરમેશ્વર..? કોણ છે આ પરમેશ્વર..?
 
જોયા તો નથી, પણ કદાચ જે તે સીરીયલોમાં જોયા હોય, ફિલ્મમાં જોયા હોય કે પછી ફોટા જોયા હોય.. ખરું ને..!!
 
આપણે આજ સુધી જે કઈમાં પણ રામ કે કૃષ્ણ કે નારદ કે શંકર કે કોઈને પણ જોયા હોય, આપણે એમને જ તદાર્થ કરીએ છે મનમાં યાદ કરતી વખતે. આપણે જીવનમાં ઉતારી લીધું છે કે, કૃષ્ણ તો આવા જ હોવા જોઈએ. એ આવા જ દેખાય. રામ તો આવા જ હોવા જોઈએ, એ આવું જ કરે..  ખરું..?
 
તમને શું લાગે છે, આવા કેરેક્ટરો પેદા કરનારે ભગવાન ને જોયા હશે..? નાં..! ક્યારેય નહિ.. આ બધા જ એમના કર્મો ને આધીન ઊભા કરાયેલા છે..
 
સાલો આ ‘કર્મ’ બહુ અઘરો શબ્દ છે.. કર્મ, ને એમાં રહેલો મર્મ, કે કદાચ કર્મની પાછળ રહેલો મર્મ..!!
 
હું નાસ્તિક નથી. હું ભગવાનમાં માનું છું. ગુરુવાર કરું છું, ને દર ગુરુવારે મંદિરે પણ જાઉં છું. કર્મની વાત લઉં તો, હું કર્મમાં અને એની પાછળ રહેલા મર્મમાં વધારે માનું છું. ઘણા ધર્મ-ધુરંધર ધાર્મિક ગુરુઓ ભારતમાં જોવા મળે છે કે જે અપકૃત્યો કે અસામાજિક કૃત્યો માં સંડોવાયેલા છે. પરમેશ્વર બધે છે, એ બધું કરશે તો મારા કે તમારા જેવા લોકો એ તો ઘરમાં બેસી રેહવું જોઈએ, શું કહો છે..! ભગવાન બેઠો તો છે બધું કરવા..! કરવા દો ને એને..! શું કામ હૈયા-હોળી, દોડ-દોડી કરવાની..!
 
મારા ને તમારા જેવા આખી જીંદગી કઈક ને કઈક ખરાબ કરીએ છીએ. સવારે ઘરે થી નીકળીને સાંજે ઘરે પાછા વળતા સુધીમાં અનેક લોકોને હેરાન કરીએ છીએ, આપણો સ્વાર્થ સંતોષીએ છે. અને પછી મંદિરમાં જઈને ભગવાન ને ભજીએ છીએ. આ આપણો નિત્ય ક્રમ, કર્મ, મર્મ બધું જ છે.
 
મારા મતે પરમેશ્વર એટલે ”પરમ ઈશ્વર”.. ”પરમ” એટલે ઉત્તમ, ને ”ઈશ્વર” એટલે કર્મના ફળ આપવાના અધિકાર વાળો દેવ..
 
પરમેશ્વર એની સાથે છે જેને પોતાનામાં શ્રદ્ધા ને આત્મવિશ્વાસ છે. ભગવાન પણ એને જ મદદ કરે છે. બાકી દુનિયામાં હજારો લોકો રોજ મરી જાય છે, ભૂખ્યા રહી જાય છે, દુખી થાય છે. ત્યારે ભગવાન ક્યા હોય છે..? કેમ ભગવાન બધાને બચાવવા નીકળતો નથી..?
 
તમે કયા ભગવાન ને ભજો છો એ મહત્વ નું નથી પણ તમે કેવા કર્મો કરો છો એ મહત્વ નું છે. અને એ પણ કેવા મર્મ સાથે કરો છો એ વધારે મહત્વનું છે..
 
ક્યારેય વિચાર્યું છે કે તમે કેટલા જરૂરતમંદોને (ખાલી તમારા સંપર્કમાં આવતા) મદદ કરી..? કદાચ બહુ ઓછા લોકોને..! ભગવાન તો બધે જ છે અત્ર તત્ર સર્વત્ર, પણ એ કંસનો ન હતો, એ કૌરવોનો ન હતો, એ અર્જુન નો હતો. ભગવાન એની સાથે છે જેનું કર્મ પણ સારું છે, મર્મ પણ સારું છે, જેને પોતાનામાં શ્રદ્ધા છે, આત્મવિશ્વાસ છે. કોઈનું સારું કરવું તો જવા દો ખાલી આપણો જો લોકોનું ખરાબ કરવાનું પણ છોડી દઈએ તો બહુ છે..!
 
મારે મતે મંદિર એટલે, શાસ્ત્રોમાં કેહવાયું છે કે મંદિરે જવું જોઈએ એ (ભગવાનવાળું) જ ખાલી મંદિર નહિ, પણ જ્યાં મને, મારા મનને શાંતિ ને ખુશી મળે, જેનાથી કોઈને હાની ન પહોંચે કે કોઈનું ખરાબ ન થાય, જે કોઈના વિરુદ્ધ ન હોય, જેનાથી મને કે બીજાને નુકશાન ન થતું હોય, એ બધી જગ્યા મંદિર જ છે. કદાચ મારો આ બ્લોગ પણ મારે માટે મંદિર જ છે.
 
મારી છેલ્લી રચના ”જીવન” ફક્ત કર્મ ને આધીન છે.. માનવી એની આખી જીંદગી વિતાવવા છતાં એવા સંબંધો કે  એવા કર્મો ન કરી શક્યો કે ચાર જણાં આવી ને બે આંસુ વહાવી શકે, એના સારા કર્મો ને વધાવી શકે.. નહિ કે હું એકલો છું તો શું થયું, ભગવાન છે મારી સાથે. બિલકુલ નહિ. જીંદગી જીતવા નહિ જીવવા માટે જીવો..! મારી આ રચના એક જીવનને જીતવા માટે જીવતા મનુષ્યની અંતિમ મનોવ્યથા છે. જે ક્યારેય સારા કર્મો કરી જ ન શક્યો.
 
 
 
ઝેનિથ સુરતી, ૧૫ જુલાઈ 2010
Follow

Get every new post delivered to your Inbox.