બેકલતા પછીની એકલતા.. વૃદ્ધાવસ્થાનું કડવું સત્ય..


વૃદ્ધાવસ્થાનું કડવું સત્ય..



 પ્રસ્તાવના


       થોડા દિવસો પહેલા મેં શ્રી ચંદ્રકાન્ત બક્ષીએ લખેલા મૃત્યુ વિશેના અમુક લેખો વાંચ્યા. ખુબ જ હૃદય સ્પર્શી અને તીક્ષ્ણ, સીધા દિલ અને દિમાગ પર વાર કરે એવા હતા. આ લેખો એમને એમના પત્નીના અવશાન પછી લખેલા છે. નાનામાં નાની વાતો એમને બહુજ સહજતાથી કહી છે, વૃદ્ધાવસ્થાની એકલતાની, સંબંધોની, હૂંફની, લાગણીની વાત કરી છે. હું અહીં એમના જ વિચારો ને મારી ભાષામાં ઉતારવાની તજવીજ કરી રહ્યો છું. 

ઝેનિથ સુરતી

૨૨ માર્ચ ૨૦૧૦

 ***


       કલતા વિશે તો બધા મોટેભાગે લગભગ જાણતા જ હશે. શ્રી ચંદ્રકાંત બક્ષી એ બહુ સરસ વાત કહી છે કે એકલતા માટે અંગ્રેજીમાં બે શબ્દો છે, “લોન્લીનેસ” અને “અલોનનેસ”. અને આ બંને શબ્દો વચ્ચે બહુ મોટો ફરક છે. લોન્લીનેસમાં દુનિયા માણસ ને અલગ પાડી દે છે, ને અલોનનેસમાં માણસ પોતે દુનિયાથી અલગ થઇ જાય છે. લોન્લીનેસ માં માણસ ને કોઈકની જરૂર સતત વર્તાયા કરતી હોઈ છે. કોઈક એની પાસે હોઈ, કોઈક આવીને એને સહારો આપે એવું અભિવ્યક્ત થયા કરતુ હોઈ છે. જયારે અલોનનેસમાં માણસ ને દુનિયાની કે બીજી કોઈ વસ્તુની કઈ પડી હોતી નથી. અલોનનેસમાં પણ માણસ મર્દ હોઈ છે. આ તો વાત થઇ એકલતાની પણ આ બેકલતા એ વળી શું..?

       શ્રી ચંદ્રકાંત બક્ષી એ આપેલો આ શબ્દ છે બેકલતા. બેકલતા એટલે બે માણસોની એકલતા. નવાઈ લાગી નઈ, વળી આ બેકલતા શું છે? બે માણસ તો છે, પછી એકલતા શાની? બે જણા સાથે મળી હરી-ફરી શકે, મોજ મસ્તી કરી શકે, વાતો કરી શકે, તો વળી એકલતા ને બેકલતા શું?

 ***

       તરુણ અને સુભદ્રા, તન-મન અને ધન થી સુખી સંપન્ન આડેધ વયનું જોડું. ૪૭ વરસનો આહલાદક લગ્નગાળો. એકની એક પુત્રીના વિવાહ વિદેશ થઇ ગયા હતા ને પુત્ર બેંગ્લોરમાં ઉચ્ચ હોદ્દા એ નોકરી કરતો હતો, ને અમદાવાદમાં આ બે જણા એકલા. સમજાઈ હવે બેકલતા..!! મહિને એકાદવાર પુત્ર અને પુત્રી જોડે વાત થઇ જાય, બાકીના દિવસ એજ શાંતિ નો એકદમ શાંત કાળો રંગ. એમ પણ અંધકારને ક્યા જુદા જુદા રંગ જ હોઈ છે. પુત્રી વિદેશ છે ને પુત્ર ને સમય નથી માં-બાપ જોડે રોજ ને રોજ વાતો કરવાનો. પુત્ર ને પણ પરિવાર છે, મોંઘવારી કુદકે ને ભૂસકે  વધી રહી છે, સમય બદલાઈ રહ્યો છે, જીવનશૈલી બદલાઈ રહી છે. તરુણ ને સુભદ્રા સવારે ઉઠે ચા-નાસ્તો કરે. બપોર તો કેમે કરતા નીકળી જાય પણ સાંજનું શું..? કારમી સાંજ કેમ કરી કાઢવી..? વાત કરી કરી ને પણ કેટલી કરવી ને કોની કરવી..? ઘડિયાળના કાંટા ફરે છે, સુરજ ઉગે છે ને આથમે છે, બસ ખાલી સમય જાય છે. આજે ૧૭ વર્ષ થયા એમને એકલા રહીને. ૧૭ વર્ષ, ખબર છે ૧૭ વર્ષ માં શું શું થાય..!! ત્યારે તરુણ નું હૃદય કહેતુ, કઈ નઈ ભાઈ સુરજ ઉગી ને આથમી જાય ને આમ ૧૭ વર્ષ પુરા થઈ જાય. કદાચ તમે હવે બેકલતા નો અર્થ સમજી ગયા હશો. મોટેભાગે આધેડ વયના દંપત્તિ માટે આ શબ્દ નવો નહિ હોઈ. બેકલતા એ જીવનકાલ દરમ્યાન આવતો જીંદગી નો જ એક ભાગ ગણી શકાય. અને એ પણ લોન્લીનેસ વાળો..!!

       હવે જુના પુસ્તક સમી આ જીંદગીના લખાયેલા પાનાની કિનારીઓ વળી ગઈ છે, ને પાના પણ પીળા પડી ગયા છે. હવે લખાયેલા પાના પાછા ફેરવવામાં માલ પણ નથી, ક્યાંક જોર થી હાથ લાગી જાય તો પાનું ફાટી જાય, ખરું ને..!! તરુણ ને સુભદ્રાની આ બેકલતા એમને કોરી ખાતી હતી. સમય કેમે કરીને પસાર થતો નહતો ને આંખો વધારે ને વધારે ઘરડી ને ઊંડી થઇ રહી હતી. સુભદ્રા સાંજે થોડી વાર પડોશીઓ સાથે બેસતી ને તરુણ બાગમાં આંટો મારી આવતો. રૂમમાં ટ્યુબલાઈટનો પ્રકાશ બલ્બની જેમ પીળો ને આછો થઇ રહ્યો હતો. અચાનક સુભદ્રાની તબિયત એક દિવસ બગડી, હાર્ટ-એટેક આવ્યો. તરુણ તરત સુભદ્રા ને હોસ્પિટલ લઈ ગયો. સુભદ્રાનો શ્વાસ અટકી અટકી ને જઈ રહ્યો હતો. ડોક્ટર પોતાનો મહત્તમ પ્રયાસ કરી રહ્યો હતો. તરુણ ના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આભ ફાટી ગયું હતું. ત્રણ કલાક થયા પણ સુભદ્રાની તબિયતમાં કઈ સુધાર નહતો. તરુણની  આંખો રડી રડી ને લાલ થઇ ગઈ હતી. પુત્રી ને સમાચાર આપ્યા નહતા, ને પુત્ર ની ફ્લાઈટ ને બેંગલોર થી ઉપડવાને હજી બે કલાકની વાર હતી. ચાતક જેમ વરસાદની રાહ જોઈ રહ્યો હોઈ એમ તરુણ ડોક્ટર ના આઈ.સી.યુ માંથી બહાર આવાની રાહ જોઈ રહ્યો હતો. એટલામાં જ સુભદ્રા ને બીજો એટેક આવ્યો, ડોક્ટરોની ભાગદોડ મચી ગઈ, તરુણ આઈ.સી.યુ ના દરવાજાના નાનકડા કાચ માંથી બધું જોઈ રહ્યો, જાણે ભગવાનનાં દરબારમાં જીવન અને મૃત્યુનું કોઈ નાટક ના ચાલતું હોઈ..? ને એટલામાં તો ધબકારાની તીવ્રતા ઘટવા માંડી, ગ્રાફ ની રેખાઓ ક્ષિતિજની જેમ સીધી થવા લાગી. ડોકટરો એ શોક ટ્રીટમેન્ટ ચાલુ કરી. એક.. બે.. ત્રણ.. ઝટકા.. ને સુભદ્રાનું માથું જમણી બાજુ ઢળી પડ્યું. તરુણ બેભાન થઇ ભોંય ભેગો થયો. જાણે યુદ્ધમાં હારેલા રાજાને આજીવન કારાવાસની સજા. તરુણે આંખો ખોલી ત્યારે હોસ્પિટલ માં એક પલંગ પર હતો, એની સામે એનો પુત્ર ઉભો હતો. તરુણ થી ના રેહવાયું ને એને રડી દીધું. પુત્રી ને ખબર આપ્યા, પુત્રી પણ આવી ને તરુણે અંતિમક્રિયાની વિધિ પતાવી. પુત્ર ના આગ્રહ ને લીધે તરુણ એની સાથે બેંગ્લોર રેહવા જતો રહ્યો.

       મૃત્યુ.. અજીબ વસ્તુ છે નઈ. એક અગોચર વિશ્વ. શું રંગ હોઈ શકે એનો..? કાળો કે જે અંધકાર નો રંગ છે..? માણસ બધું છોડી ને ચાલ્યો જાય છે, કશાની પરવા કાર્ય વિના ને એકલો મુકતો જાય છે એના પ્રિયજનને. બાળક માંના પેટમાં હોઈ ત્યારથી જ તો એના મૃત્યુ નો સમય નક્કી હોય છે તો પછી આટલી બધી હૈયાહોળી શાની..? શું કામ દુ:ખ થાય છે લોકોને સ્વજનના જતા રેહવા પર..? માણસ બધું જ છોડી ને જાય છે, દુનિયા, સ્વજનો, લાગણી-હૂફ, સંબંધો બધું જ, છતાં એવું કેમ કહેવાય છે કે, “અવસાન પામ્યા”, “મૃત્યુ પામ્યા”, “સદગતિ પામ્યા”. જો મૃત્યુ એ પામવાની વસ્તુ હોઈ તો પછી આટલું દુ:ખ શાનું..? મારા મતે તો “સ્વર્ગે સિધાવ્યા” એ શબ્દ સાર્થક લાગે છે.

       તરુણ જતા તો જતો રહ્યો પણ સુભદ્રાની યાદ એને કોરી ખાતી હતી. જાણે કોઈ ભયંકર જીવલેણ રોગ એના શરીર ને ક્ષીણ કરી રહ્યું હોઈ. દિવસે ને દિવસે એની બેચેની ને એકલતા વધતી જતી હતી. હવે એ બેકલતા માંથી એકલતામાં આવી ગયો હતો. આવા સમયે એના પુત્રને કંપનીમાંથી વિદેશ જવાની તક મળી ને પુત્ર એ તક ખોવા નોહતો માંગતો. ને વળી કંપની પતિ-પત્ની બંનેને વિદેશ મોકલવા તૈયાર હતી. તરુણે સામેથી પુત્ર ને પોતે અમદાવાદ જ રેહશે એમ જીદ કરી ને અમદાવાદ પાછો આવી ગયો. પુત્ર-વહુ વિદેશ જતા રહ્યા.

       એજ અમદાવાદ, એજ ઘર, એજ યાદો, તરુણની આંખો ભીની થઇ આવી. પોતાનાથી થાય એટલું ઘર સાફ કરીને તરુણ સ્વસ્થ થયો. સાંજે બાગમાં આંટો મારવા ગયો ને પોતાના જુના થોડા મિત્રોને મળ્યો. એનું મન થોડું હળવું થયું. પણ પાછી એજ કારમી સાંજ, એજ ઘડિયાળનાં કાંટા ને હવે તો બેકલતાને બદલે ખાલી એકલતા. શું કરવું ને શું ન કરવું..? તરુણ પલંગ પર આડો પડ્યો હતો, બલ્બ નો આછો પ્રકાશ હતો, એ સુભદ્રાની યાદો માં ખોવાયેલો હતો ને અચાનક એની નજર બલ્બ ઉપર બાઝેલા જાળા પર પડી, ”સુભદ્રા, આ બલ્બ પર જાળા બાઝી ગયા છે, જરા સાફ તો કર કોઈ આવશે ને જોશે તો..?” પણ કોઈ સંભાળવા ત્યાં હતું નહિ, તરુણને સુભદ્રાની ખોટ સાલી રહી હતી. એનાથી રડી દેવાયું. સુભદ્રા નો એજ જુનો ફોટો ને રોજ નવો સુખડનો હાર. ફોટામાં એકધારું સુભદ્રાનું હાસ્ય ને અપલક આંખો. તરુણ કલાકો સુધી ફોટાને જોયા કરતો. ક્યારેક તો તરુણ બહાર આંટો મારીને આવે, ને ઘરના દરવાજે સુભદ્રા બુમ પાડી બેલ મારી ઉભો રહી જતો, ને પછી પરિસ્થિતિનો ખ્યાલ આવતા રડી દેતો.

       જેમ કોઈ પતંગિયું આગની જ્યોત ને પામવા મથી રહ્યું હોય એમ તરુણ એકલતાના અંધકારથી છૂટવા, ને મૃત્યુની જ્યોત પામવા મથી રહ્યો હતો. તરુણ લાચાર-રાંક થઇ ગયો હતો. એજ ડબલ બેડ હતા, બે ઓશીકા, બે ચાદરો, પણ હવે એક બેડ ખાલી છે, માથું એક છે, સ્વપ્ન પણ એક છે..!! એક સમયે એકજ બેડ પર બંને જણા આરામથી સુઈ રહેતા ને આજે આખો એક બેડ ખાલી છે, સુવા કોઈ નથી. કેટલી પામર જીંદગી છે એ તરુણને સમજાય રહ્યું હતું. ડ્રેસિંગ ટેબલના કાચ પર લાગેલા ચાંલ્લાને જોઇને એ હરખાઈ જતો. હજી સુભદ્રાના ચાંલ્લાની જગ્યા ત્યાં જ હતી, રોજ એ ચાંલ્લાને જોતો ને ખોવાઈ જતો. છે ને વિચિત્રતા, પહેલા એ સુભદ્રાને એજ ચાંલ્લા માટે વઢતો હતો ને આજે એજ ચાંલ્લા એનું જીવન બની ગયું છે.

       બધું એમનુએમજ હતું, ન હતી તો ફક્ત સુભદ્રા, એના મીઠા-મીઠા ઝગડા, એની મીઠી-મીઠી વાતો, ક્યારેક ગુસ્સે થઇ જવાની કળા તો ક્યારેક રિસાઈ જવાની અદા, એ સાથે મંદિરે જવું, રોજ રોજ ચીડવવું, ઓફિસેથી મોડા આવી એને મનાવવી, જન્મદિવસે અને લગ્નદિવસે છાની ભેટ આપવી, એ સવારની ચ્હા ને નાસ્તો, ઓફિસે જતા મળતો પ્રેમ, કઈ ન હતું.. ફક્ત એકલતા.. એકલતા ને એકલતામાં એનું શરીર સુકાઈ રહ્યું હતું. લજામણી નો છોડ જેમ અડતા જ બીડાઈ જાય એમ એનું જીવન બીડાઈ ગયું હતું. ખાલીપો એને ખાવા દોડતો હતો. રોજ ની જેમ એક સાંજે એ બલ્બના આછા પ્રકાશને જોતો જોતો સુભદ્રાના વિચારોમાં પલંગ પર પડ્યો, ને એનો જીવન પ્રકાશ બુઝાઈ ગયો. તરુણ હવે આ દુનિયાનો મહેમાન રહ્યો નહતો. એ પેલા મૃત્યુ નામના અગોચર વિશ્વનો સભ્ય હતો. સુભદ્રાની યાદ એને લઇ ગઈ, સદાને માટે, આ દુનિયાથી દુર, બહુ દુર..

ઝેનિથ સુરતી

૨૨ માર્ચ ૨૦૧૦ 

Posted on March 24, 2010, in ટૂંકી વાર્તાઓ અને લેખો... Bookmark the permalink. 10 Comments.

  1. એકલતાની તમારી આ વાતે મને મારી એકલતાની યાદ આપી દીધી. ખરે જ એકલતા ખૂબ જ નઠારી છે ! અનેક યાદો પજવે છે ! મનમાં પેદા થતી કોઈ પણ પ્રકારની હર્ષ/ખુશી કે અન્ય લાગણીઓ ઠાલવી હળવા થવા કોઈનો ખભ્ભો કે કોઈનો ખોળો ના મળે ત્યારે માનસમાં જે વેદના જે પીડા જે વ્યથા પેદા થાય તે શબ્દસ્થ કોઈ ના કરી શકે તે માત્ર અનુભુતિનો વિષય છે. આપની રજૂઆત ગમી. અભિનંદન ! મારી એકલતા હળવી કરવા મેં પણ મારો બ્લોગ બનાવ્યો છે અને મારાં વિચારો તે ઉપર મૂકી રહ્યો છું આપની અનુકૂળતાએ મુલાકાત લેવા હાર્દિક નિમંત્રણ પાઠવું છું. આપના પ્રતિભાવની ઉત્સુકતા પૂરવક રાહ જોઈશ ! આવજો ! મળતા રહીશું !
    સ-સ્નેહ
    અરવિંદ મારા બ્લોગની લીંક http.arvindadalja.wordpress.com

    • આદરણીય શ્રી અરવિંદકાકા,
      આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ આપી મને પ્રોત્સાહિત કર્યો તે બદલ ખૂબ ખૂબ આભાર અને સ-સ્નેહ વંદન. એકલતાની અનુભૂતિની તમારી વાત બહુજ સાચી છે. મેં તમારા બ્લોગની મુલાકાત લીધી ને હું ખૂબ પ્રભાવિત થયો અને આગળ પણ તમારા બ્લોગની મુલાકાત અચૂક લેતો જ રહીશ.

      મચ્છરોની આમ સભા — એક અહેવાલ !!! મેં વાંચી, અતિ ઉત્તમ કાકા..

      હું ઉંમર અને અનુભવ બંને માં તમારા કરતા બહુ નાનો છું, જેથી તમારા અભિપ્રાયો મને મળતા રહે એની સ-હૃદય અપેક્ષા રાખું છું..
      તબીયત સાચવશો..
      મળતા રહેશું, આવજો..
      ઝેનિથ
      બ્લોગની લીંક,
      1) http://zenithsurti17.wordpress.com/
      2) http://gujjuzen.blogspot.com/

  2. bahuj saras vaartaa
    maarI veb site http://www.gsshouston.wordpress.com upar mukyo Che aapanee anumati ane parvaangi saathe..

    • આદરણીય શ્રી વિજયભાઈ,
      આપે મારા બ્લોગની મુલાકાત લીધી, પ્રતિભાવ આપી મારી કૃતિ આપના બ્લોગ મૂકી મને પ્રોત્સાહિત કર્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને સ-સ્નેહ વંદન.
      મેં તમારા બ્લોગ “વિજયનુ ચિંતન જગત-મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ..” ની મુલાકાત લીધી. ખૂબજ સરસ રચનાઓ પ્રકાશિત કરેલ છે તમે.
      તમારા પ્રકાશનો “નિવૃત્તિની પ્રવૃત્તિ” અને “ટહુકા એકાંતના ઓરડેથી” અચૂક મેળવી ને વાંચી લઈશ, અને આગળ પણ તમારા બ્લોગની મુલાકાત જરૂર લેતો રહીશ.
      મારી કવિતાઓના બ્લોગની લીંક પણ આ સાથે મોકલી રહ્યો છું. તમારા અભિપ્રાયો મને આમજ મળતા રહે એવી સ-હૃદય અપેક્ષા રાખું છું..
      તબીયત સાચવશો..
      મળતા રહેશું, આવજો..
      ઝેનિથ
      બ્લોગની લીંક,
      1) http://zenithsurti17.wordpress.com/
      2) http://gujjuzen.blogspot.com/

  3. Dear,

    Forget about all funny stuff from myside…

    By heart, It is really touchy…!!!

    Tara jevu alankarik Gujarati to avadtu nathi pan Gujarati ma kahu to Aankho ma zalzaliya aavi gaya…!!!

    Pranay…

  4. આજરોજ નવે-૧૫-૧૧ ને રોજ અમારા એક મિત્ર બેન નું ફેફસા ના કેન્સર માં અવસાન થયું.ખુબ જ રીબાયા પછી.જોગાનુજોગે તમારો બ્લોગ અચાનક જ વાંચવા મળી ગયો.એમના પતિ પણ હવે એકલા થઇ ગયા.બન્ને છોકરી ઓ પરણીને સાસરે છે પણ સદનસીબે બહુ દૂર નથી.વેવાઈવાડો પણ મોટો છે અને એ ભાઈ હજી પણ નોકરી કરે છે.અમે બે ખુદ પણ એકલા જ છીએ.સંતાનો નથી.જોઈએ અમે શું કરશું કદાચ અમારા બન્ને માંથી કોકે વહેલું જવું પડે.પણ હા મ્રત્યુ એ એક વાસ્તવિકતા છે.સરસ બ્લોગ છે અને ચાલુ રાખશો.

  1. Pingback: વૃદ્ધાવસ્થાનું કડવું સત્ય..-ઝેનિથ સુરતી « નિવૃત્તિ ની પ્રવૃત્તિ

  2. Pingback: બેકલતા પછીની એકલતા.. વૃદ્ધાવસ્થાનું કડવું સત્ય.-ઝેનિથ સુરતી « નિવૃત્તિ ની પ્રવૃત્તિ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.